Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

કચ્છના તીર્થધામ નારાયણ સરોવર મધ્યે કાલથી વિશ્રાંતિગૃહ અન્નક્ષેત્ર ભોજનાલય શરૂ

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) દેશની પશ્ચિમી સરહદે કચ્છમાં આવેલ પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર કોરોના પછી હવે પૂર્ણ પણે ધમધમતું થઈ રહ્યું છે. 

અહીં રવિવાર તા/૨૭/૬ થી વિશ્રાંતીગૃહ, અન્નક્ષેત્ર તેમ જ ભોજનશાળા શરૂ થઈ જશે. ટ્રસ્ટના પ્રમુખ પ્રભાબેન પોપટ અને મેનેજર જયેશભાઈ જોશીએ આ અંગે જાણકારી આપી છે.

(9:44 am IST)