Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

કોરોના રોકવા કવાયતઃ ચરાડવામાં કાલથી એક સપ્તાહ સુધી શાક માર્કેટ સ્વયંભૂ બંધ :બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે

શાકભાજીના વેપારીઓ શાક માર્કેટ બંધ રાખીને શાકભાજી નહી વેચવાનો નિર્ણય લીધો

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળિયા રોડ ઉપર ૫૪ વર્ષના પુરૂષને ગઇકાલે કોરોના પોઝિટિવ આવ્યો છે જેથી આજથી ગ્રામ પંચાયત દ્વારા ચરાડવા ગામ સવારે ૭થી ૨ વાગ્યા સુધી બજાર ચાલુ રાખવાનું નકકી કરવામાં આવ્યુ છે તેમજ શાકભાજીના વેપારીઓએ શાક માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે

          મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળિયા રોડ પર દેવીપુજક વાસમાં ૫૪ વર્ષના પુરૂષને બુધવારે કોરોના પોઝિટિવ કેસ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને અટકાવવા અને વધુ કોરોના કેસ ના થાય તેવા હેતુસર ચરાડવા ગામના વેપાર ધંધા દુકાનનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ ચરાડવા ગામે શાકભાજીના વેપારીઓ શાક માર્કેટ બંધ રાખીને શાકભાજી નહી વેચવાનો નિર્ણય લીધો છે. તમામ ગામ સવારે ૭ થી ૨ વાગ્યા સુધી ચાલુ રહેશે. ૨ વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ચરાડવા ગામમા એક કેસ કોરોના પોઝિટિવ આવતા અન્ય લોકો આ કોરોના બિમારીમાં ના સપડાઈ તે માટે ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે નિર્ણય લઈને સવારે ૭ થી ૨ વાગ્યા સુધી બજાર ચાલુ અને ત્યારે બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેમ ચરાડવા ગામના સરપંચ પ્રવિણભાઇ સોનગ્રા દ્વારા જણાવેલ છે.

(8:29 pm IST)