Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

બાવળીયાના ટેકેદારો દરેક સમાજનું સંમેલન યોજશે

જસદણ, તા. ર૬ : જસદણના ડાયનેમિક ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાના સમર્થનમાં વિંછીયા ખાતે પોપટભાઇ રાજપરા અને જેસાભાઇ સોલંકીએ સંમેલન યોજયા બાદ હવે શ્રી બાવળીયાના ટેકેદારો જસદણમાં પણ દરેક સમાજનું એક વિશાળ સંમેલન યોજી પ્રજામત મેળવી પોતાને કયાં જવું તે નક્કી કરશે. જોકે તેમના ટેકેદારોએ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ વિશાળ સંમેલન તો જસદણમાં યોજાશે તે નક્કી હોવાની વાતો સંભળાય છે.

કુંવરજીભાઇ પ્રજાના કામોને ગતિ મળે તેથી અનય પક્ષમાં જવાનું વિચારી રહ્યા છે. તેનો સંકેત પણ આપી દીધો છે. ત્યારે આગામી સંમેલન અંગે રાજકીય નેતાઓ મીટ માંડીને બેઠા છે.

(11:44 am IST)