Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

પાંચવડાના જયશ્રીબેનને પતાવી દેનાર પતિ અશોક પટેલના રીમાન્ડ મંગાયાઃ ઘટનાનું રિહર્સલ કરાયું

કાં તુ નહિ અને કાં હું નહિ તેવું પતિએ કહેતા પત્નીએ હું જ પહેલા પતાવી દઇશ તેવી ધમકી આપતા પતિએ પતાવી દીધી'તી

રાજકોટ, તા., ૨૬:   આટકોટના પાંચવડા ગામે લેઉવા પટેલ જયશ્રીબેન સાવલીયાની હત્યા બાવાઓએ નહિ પણ તેના પતિએ જ કર્યાનોં ઘટસ્ફોટ થયા બાદ   પોલીસે  પતિ અશોક  પટેલની ધરપકડ કરી   આજે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. તેમજ સમગ્ર ઘટનાનું રિર્હસલ આરોપી પાસે પોલીસે કરાવ્યું હતું.

પાંચ દિવસ પહેલા પાંચવડા ગામે દિન દહાડે લેઉવા પટેલ જયશ્રીબેન સાવલીયા પોતાની ઘરે હતા ત્યારે ભીક્ષા માંગવા આપેલ બે સાધુઓએે હત્યા કરી નાસી છુટયાનો બનાવ જાહેર થયો હતો.પોલીસ તપાસમાં  જયશ્રીબેનની હત્યા કોઇ સાધુઓએ નહિ પણ તેના પતિ અશોક પટેલે જ કર્યાનું ખુલતા તેની ધરપકડ કરાઇ હતી. 

પોલીસ પુછપરછમાં પકડાયેલ પતિ અશોક સાવલીયાએ ે એવી કબુલાત આપી હતી કે તેની પત્ની ચારિત્રહિન હોય બંન્ને વચ્ચે છાશવારે ઝઘડા થતા હતા. બનાવના દિવસે રાત્રે પોતે ઘરે આવ્યો ત્યારે પત્નિ જયશ્રી મોબાઇલ ફોન પર કોઇ સાથે વાત કરતા પકડાઇ ગઇ હતી અને આ મુદ્દે બંન્ને વચ્ચે  ઉગ્ર ઝઘડો થયો હતો અને પતિ અશોકે કાં તુ નહિ અને કાં હું નહિ તેવું કહેતા પત્ની જયશ્રીએ હું પહેલા તને પતાવી દઇશ તેવી ધમકી આપતા પતિ અશોક સમસમી ઉઠયો હતો અને સવારે ઉઠીને ઘરમાં પડેલ લોંખંડની કોશ નિંદ્રાધીન અવસ્થામાં રહેલ પત્ની જયશ્રીબેનના માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.  ત્યાર બાદ બંન્ને પુત્રીઓને બોલાવીને કહયું હતું કે તારી માને પતાવી દીધી છે. અને કલાક પછી ઘરે બે બાવાઓ ભીક્ષા માંગવા આવતા ઝઘડો થતા બાવાઓએ પતાવી દીધાની પોલીસને ખોટી સ્ટોરી કહે જે તેમ કહી પોતે ઘરેથી નિકળી ગયો હતો અને બાદમાં બંન્ને પુત્રીઓએ પોલીસ સમક્ષ ઘરે બે બાવા ભીક્ષા માંગવા આવ્યાની અને રોકડ રકમ આપવા બાબતે માથાકુટ થતા બે બાવાઓએ તેની માતાને પતાવી દીધાની પોલીસ સમક્ષ ખોટી સ્ટોરી વર્ણવી હતી.

પકડાયેલ અશોક પટેલને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાનાર છે. તેમજ હત્યા કરનાર અશોક પટેલે પત્ની જયશ્રીનું કેવી રીતે ખુન કર્યુ? તે ઘટનાનું રિહર્સલ પોલીસે કરાવ્યું હતું. વધુ તપાસ આટકોના પીએસઆઇ એ.વી.જાડેજા ચલાવી રહયા છે.

(5:24 pm IST)