Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

માળીયામિંયાણામાં નઝમાબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

 મોરબી તા. ૨૬ : માળિયામાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ માળીયાના મીરૂબેનનગર વિસ્તારની રહેવાસી નઝમાબેન અબ્દુલ મામદ મેર (ઊવ ૨૧) નામની યુવતીએ ગઈકાલે સાંજના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે માળિયા પોલીસે યુવતીના આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.(૨૧.૧૫)

(11:39 am IST)