Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સરસ્‍વતી સ્‍કૂલ જૂનાગઢનું ધો.૧૦ નું શ્રેષ્ઠ પરિણામ

 જૂનાગઢ : ધોરણ-૧૦ ના પરિણામમાં પણ સરસ્‍વતી સ્‍કૂલના ૮ વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાતમાં સરસ્‍વતી સ્‍કૂલનુ નામ ગુંજતું કર્યું છે. જેમાં ગાંધેશા બંસી, શિંગાળા પ્રિશા, દાફડા ભૂમિકા, રાઠોડ પ્રિન્‍સ, દડિયા જૈનમ, ટાંક દેવ, અનવાણી જાસ્‍મીન, બદ્રકીયા ગરીમાએ એ૧ ગ્રેડ મેળવેલ છે. તેમજ ઠકરાર નીધિ રાકેશભાઈ , રામચંદાણી નિખિલ આસનદાસ, ચૌહાણ સાનિયા ઈરફાન તથા ગોહેલ રવિ અજયભાઈ બેઝિક ગણિતમાં ૧૦૦ માંથી ૯૯ માકર્સ મેળવેલ છે. સરસ્‍વતી સ્‍કૂલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી,  જગદીશભાઈ ખીમાણી, રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ અભિનંદન પાઠવ્‍યા હતા.ધોરણ ૧૦માં ૯૦% કે તેથી વધુ ગુણ મેળવનારને ધોરણ ૧૧ તથા ૧૨ કોમર્સમાં સંપૂર્ણ ફી શીપ આપવામાં આવશે. જયારે ૮૭% થી ૯૦ % વચ્‍ચે ગુણ મેળવનારને ધોરણ ૧૧ તથા ૧૨ કોમર્સમાં ૫૦%ફી શીપ આપવામાં આવશે. કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપવા માટે સરસ્‍વતી સ્‍કૂલમાં પ્રવેશ લેનાર તમામ દીકરીઓને રૂ. ૮૦૦૦ની રાહત આપવામાં આવશે

(1:20 pm IST)