Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

જેતપુરના પ્રેમગઢ ગામે ખેડૂત વશરામભાઇનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યુ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૨૬ : તાલુકાના પ્રેમગઢ ગામે રહેતા વળદ્ધ ખેડૂત વશરામભાઈ શંભુભાઈનું અવસાન થતાં તેની ઈચ્‍છા મુજબ ચક્ષુદાન કરવા માટે પરિવારજનોએ  માનવ સેવા યુવક મંડળ ધોરાજીના ધર્મેન્‍દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા ધોરાજી સરકારી હોસ્‍પિટલના  ડોક્‍ટર જયેશભાઈ વસેટીયન ટીમને સાથે રાખી સહિત પ્રેમગઢ ગામેથી સ્‍વ. વશરામભાઈ નાં ચક્ષુ લઈને માનવસેવા યુવક મંડળને સોંપતા રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્‍પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા હતા આ તકે તેનો પરિવાર હાજર રહેલ હતા . ચક્ષુદાન કરવા માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્‍દ્ર બાબરીયા ભોલાભાઈ સોલંકી ૯૮૯૮૭૦૧૭૭૪ - ૯૮૯૮૭૧૫૭૭૫ તથા સરકારી હોસ્‍પિટલ ફોન નંબર ૦૨૮૨૪ ૨૨૦૧૩૯  પર કોન્‍ટેક કરવા જણાવ્‍યું છે.

(1:16 pm IST)