Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલના શ્રીનાથગઢ હાઇ-વે ઉપર શ્રી શનિદેવ મંદિરે સમુહ લગ્નોત્સવ

(મહેશ પંડયા દ્વારા) શ્રીનાથગઢ તા. ર૬ :.. ગોંડલથી ૧૩ કિલો મીટર ગોંડલ શ્રીનાથજી હાઇ-વે ઉપર શનિધામ ભવ્ય મંદિર રોડ ઉપર નિર્માણ પામેલ છે. તા. ૧૯-પ-ર૩ શુક્રવાર શનિ જયંતિ દિવસે દેશ - વિદેશથી શ્રધ્ધાળુઓ ગોંડલ થી ચાલીને માનતા કરી પૂજનવીધી કરી શ્રધ્ધાથી દર્શન  કરવા આવે છે. તે દિવસે આખો દિવસ યજ્ઞકાર્ય ચાલેલ સાંજે અન્નકુટ દર્શન તથા મહાપ્રસાદ બટૂક ભોજન બહોળા સમુદાયમાં ભકતોએ લાભ લીધેલ હતો.

શનિધામના શાસ્ત્રી શ્રી જયસુખભાઇ પંડયાની પ્રેરણાથી આ દિવ્યધામનું નિર્માણ કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર ક્ષેત્રનું આ સૌથી મોટુ 'શનિધામ મંદિર છે' અસંખ્ય શ્રધ્ધાળુઓ દર શનિવારે દિવસના સોળષો પચાર પુજા કરી શિશ ઝૂકાવી માનતા પુરી કરે છે. દર શનિવારે આવેલા શ્રધ્ધાળુઓને મહાપ્રસાદ બટૂક-ભોજન કરાવાય છે. દિવ્ય દર્શનનો લાભ લેવા ભકતો પધારે છે.

આગામી તા. ર૮-પ-ર૩ રવિવારે શનિધામ મંદિરે ૧૧ દિકરીના સમુહલગ્ન રાખેલ છે. આ લગ્ન વિધીમાં શાસ્ત્રી શ્રી મહેશભાઇ પંડયા વૈદિક મંત્રોચર થી લગ્ન વિધી કરાવશે સાથે સૌરાષ્ટ્રની સુપ્રસિધ્ધ લોકગાયીકા કોયલ કંઠી એવા શ્રી પુનમબેન ગોંડલીયા સુમધુર લગ્ન ગીતોની રમઝટ બોલાવશે તેમના લગ્ન ગીતોની સાથે લગ્નના ફટાણા સાંભળવા તે એક લાવો છે. મંદિરના મુખ્ય કાર્યકતા શ્રી રોહિતભાઇ પંડયા, તથા વિપુલભાઇ પંડયા, આયોજક તમામ ભાઇઓ તથા બહેનો આ કાર્યને સફળતા પૂર્વક આખરી ઓપ તડામાર તૈયારી ચાલી રહી છે. આનંદ ઉત્સાહ સાથે ઢોલ શરણાઇ બેન્ડ પાર્ટી સાથે ૧૧ વરઘોડાથી માંડી ૧૧ વર-કન્યાની જાનને હરખના આશુ સાથે વિદાય આપશે રોહિતભાઇ પંડયાના મો. નં. ૯૮૭૯પ ૦૦૯૯ર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:17 pm IST)