Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગોંડલના આંગણે શ્રી મામાદેવના પાવન ચરણોમાં આંબા મહોત્સવનું મંગલ આયોજન

મંદિરમાં અંદાજે 75 કિલો કેરી થી શણગાર કરવામાં આવ્યો

(ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ : જય શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિર,31-ભોજરાજપરા ,ગોંડલના આંગણે તા.25-05-2023 ને ગુરુવારના રોજ શ્રી મામાદેવના પાવન ચરણોમાં આંબા મહોત્સવનું  મંગલ આયોજન કરવામાં આવ્યું હતું. 

મંદિરમાં અંદાજે 75 કિલો કેરી થી શણગાર કરવામાં આવ્યો હતો. સર્વે ભક્તજનો એ સાંજે 5:00 થી રાત્રીના 11:00 વાગ્યા સુધી આયોજિત આંબા મહોત્સવ નો  દર્શન નો લાભ લીધો હતો. મંદિર ના  મહંત શ્રી ચંદુબાપુ દેશાણી તેમજ લઘુ મહંત શ્રી મયુરબાપુ એ સર્વે ભક્તજનો ને આશીર્વાદ પાઠવ્યા હતા.

 

(11:11 pm IST)