Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રાજસ્થાનથી કારમાં જામનગર સુધી પહોંચી ગયેલા ૯ શ્રમિકો સામે પોલીસની કાર્યવાહી

લાલપુર બાયપાસ ચોકડી થી આગળ ના વધી શકયાઃ કવોરેન્ટાઇન કરાયા

જામનગર, તા. ર૬ :  ગુજરાત સરકાર દ્વારા રાજયમાં આંતર જીલ્લા પ્રવાસ પુરતી છૂટ આપવામાં આવી છે, પરંતુ આંતરરાજય એટલે કે રાજયબહારથી આવતા લોકો માટે નિયમો હજુ પણ કડક છે કારણ કે કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય એવામાં રાજસ્થાનથી બોલેરો કાર મારફત ગુજરાતમાં પ્રવેશ કરી અને જામનગર સુધી પહોચી જતા પોલીસે તમામ નવ ઈસમો સામે કોઈ મંજુરી વિના જામનગરમાં પ્રવેશ કર્યો હોય તેની સામે પંચ બી ના કરણસિંહ જાડેજાએ જાહેરનામાં ભંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને સમરસ હોસ્ટેલમાં કવોરનટાઈન કરાવવામાં આવ્યા છે.

(3:16 pm IST)