Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સુરેન્દ્રનગરમાં વધુ એક દર્દી કોરોના મુકત : હાલમાં ર૦ લોકો સારવારમાં

વઢવાણ, તા. ર૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ કોરોના વાયરસ ના પોઝિટિવ કેસો ના દર્દીની સારવાર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે ત્યારે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં ૨૦ લોકો કોરોનાવાયરસ સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૪ થી વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે..

જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ ત્રણ દર્દીઓ સાજા થઇ પોતાના દ્યર તરફ પરત ફર્યા છે અને કોરોના સંક્રમણને માત આપી છે ત્યારે વધુ એક દર્દી નો રિપોર્ટ ગઈકાલે નેગેટીવ આવતા આજે ગાંધી હોસ્પિટલ ખાતેથી આ દર્દીને રજા આપવામાં આવી છે દલસુખભાઈ નામના ૪૨ વર્ષના યુવક નડાળા ગામના રહેવાસી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર ને કોરોનાનાં લક્ષણો દેખાતા ગાંધી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા..

ત્યારે આ દલસુખભાઈ ના રિપોર્ટ કરવામાં આવતા ગઈકાલ નો રિપોર્ટ નેગેટીવ આવતા સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતેથી આજે રજા આપવામાં આવી છે ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચાર લોકોના ને માત આપીને પોતાના દ્યર તરફ પ્રયાણ કર્યું છે ત્યારે આજે વહેલી સવારે પુષ્પગુચ્છ આપીને દલસુખભાઈ ને રજા આપવામાં આવી છે.

(12:51 pm IST)