Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વાંકાનેર નગરપાલિકાના માજી પ્રમુખ દ્વારા જરૂરીયાતમંદ પરિવારને રાશનકીટ વિતરણ

વાંકાનેર તા. ર૬ :..  વાંકાનેર નગરપાલિકાના માજી પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા દ્વારા જરૂરીયાતમંદ પ૦ જેટલા પરિવારને રાશન કીટ આપવામાં આવી હતી.

કોરોના મહામારીને પગલે લોકડાઉન સહીતના લેવાયેલા પગલાથી ઘણા લોકો આર્થિક સંકળામળમાં મુકાય ગયા હતા અને રોજનું કમાયને રોજ ખાતા એવા અનેક પરિવારોને જુદી જુદી સંસ્થા અને વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના પ્રાંત અધિકારી એન. એફ. વસાવાની રાહબરી હેઠળ રાશન કીટો અવીરતે પહોંચાડી છે.

તેમ છતાં હજુ પણ ઘણા પરિવાર જરૂરીયાત મંદ હોય તેમને પણ પ્રાંત અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ રાશન કીટ આપવામાં આવે છે. વાંકાનેર નગરપાલિકા ના માજી પ્રમુખ જયોતિ સીરામીક વાળા વજુભા સજુભા ઝાલા તથા તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ ઝાલાના હસ્તે અત્રેના ડો. આંબેડકરનગરમાં વિધવા બહેનો અને જરૂરીયાતમંદ એવા પરિવારોને રાશન કીટો આપી હતી. આ વિતરણ કાર્યમાં મામલતદાર પાદરીયા, માજી પ્રમુખ પ્રેમજીભાઇ જેપાર, મનુભાઇ સોરસા, હેમુભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા આ તકે પ્રાંત અધિકારીશ્રી એન. એફ. વસાવાએ કોરોના સંક્રમણથી સાવધાની રાખવા દરેકે માસ્ક પહેરવા અને સોશ્યલ ડીસકન્ટીંગ જાળવવા સહિત જરૂરી માર્ગદર્શન આપેલ.

(11:43 am IST)