Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દાઝી જતાં ચિતલના વ્હોરા વૃધ્ધા નફીશાબેન લક્ષ્મીધરનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: અમરેલીના ચિલતમાં વ્હોરાવાડ શેરીમાં રહેતાં નફીશાબેન હકિમભાઇ લક્ષ્મીધર (ઉ.વ.૬૨) નામના વૃધ્ધાનું દાઝી જતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નફીશાબેન તા. ૧૪ મેના રોજ સાંજે પોણા સાતેક વાગ્યે રસોઇ બનાવતી વખતે  ભડકો થતાં દાઝી જતાં અમરેલી, રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી સિવિલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું આજે સવારે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારના પતિ ખેતી કરવા ઉપરાંત હાર્ડવેરની દૂકાન ચલાવે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. અકસ્માતે દાઝીગયાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું.

(11:40 am IST)