Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં બબાલ મુદ્દે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬:  સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પીટલમાં એકપણ બેડ ખાલી નથી અને નવા દર્દીઓ આવતા હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ સકતી નથી ત્યારે શુક્રવારના રોજ પહેલા મોરબી સિવિલ હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સમાં જ દર્દી કણસતા રહયા પરંતુ ડોકટર ચેક કરવા આવ્યા જ નહિ અને ત્રણ કલાક મોત સામે સંદ્યર્ષ કરીને અંતે દર્દીએ દમ તોડ્યો હોય તેવી આક્ષેપ દર્દીના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો જે મામલે હોસ્પીટલના સીસીટીવી સામે આવ્યા છે અને ડોકટર સહિતનો સ્ટાફ તપાસવ માટે ગયો હોવાનો વિડીયોમાં ખુલાસો થઇ રહ્યો છે.

શુક્રવારના સાંજના સુમારે ટંકારાના રહેવાસી ચંદુભાઈ નટવરભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષના દર્દીનો ગત તા. ૧૭ ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેની તબિયત વધુ ખરાબ થતા આજે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા દર્દીના સગા યોગેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર સાંજે ૫ વાગ્યે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા અને તેઓ ૧૦ વખત ડોકટરને બોલાવવા ગયા હતા તેમજ ૧૦૮ ના સ્ટાફ પણ ૦૪ વખત ડોકટરને બોલાવવા ગયા હતા એમ્બ્યુંલન્સમાં ઓકસીજન પર જ રાખવામાં આવ્યા હતા જેને તાત્કાલિક સારવારની જરૂરત હોય છતાં ડોકટરને આજીજી કરવા છતાં કોઈ આવ્યા ના હતા અને બોલાવવા જતા ઉચા અવાજે ના બોલ તેવું ઉદ્ઘતાઈભર્યું વર્તન કર્યું હતું તો ત્રણ કલાક દર્દી એમ્બ્યુલન્સમાં કણસતા રહ્યા બાદ તેને દમ તોડ્યો હતો તો દર્દીના મૃત્યુથી પરિવારજનોએ હોસ્પિટલ ખાતે આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો જેના પગલે પોલીસ દોડી ગઈ હતી તો આ મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

જે ઘટના મામલે સિવિલ હોસ્પીટલના આરએમઓ ડો સરડવાએ પણ તપાસ કરી પગલા લેવા નિવેદન કર્યું હતું જે ધટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ડોકટર સહિતનો સ્ટાફ એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીઓને આશરે પાંચ વાર તપાસવા માટે ગયેલ હોય હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો છે.જો કે ઘટના બની ત્યારે મીડિયાએ ડો.હર્ષ કેલાને સમગ્ર હકીકત વિષે પૂછવા જતા કેમેરા સામે કઈ બોલવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ધટનાના બે દિવસ બાદ આ સીસીટીવી બહાર પાડી સિવિલ હોસ્પિટલ અને ડો.હર્ષ કેલા ખુલાસો કરે છે પણ ડોકટર સાહેબ તમે સાચા હતા તો ધટના બની ત્યારે કેમ જવાબ ન આપ્યો અને હવે આ સીસીટીવી બહાર પાડવાનો અર્થ શું ?

(1:06 pm IST)