Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પોરબંદર હિન્દુ સ્મશાનમાં સવારે ૧૦ મૃતદેહોના અગ્નિ સંસ્કાર

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા.ર૬ : હિન્દુ સ્મશાનમાં આજે સવારે ૬ થી ૮-૩૦ સુધીમાં એક કોરાનાના મરણ ગયેલ દર્દી સહિત કુલ ૧૦ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

હિન્દુ સ્મશાન ભૂમિમા શનિવારે તા. ર૪ મીએ ૪૮ મૃતદેહોને અગ્નિ સંસ્કાર, રવિવારે તા.રપ મીએ ૧૪ મૃતદેહો અગ્નિ સંસ્કાર તથા આજે સોમવારે સવારે એક કોરાનાના સદ્દગત દર્દી સહિત ૧૦ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરાનાના સંકટ સમયમાં સ્મશાનમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાઇન લાગે છે સ્મશાનમાં ઇલેકટ્રીક ભઠ્ઠી તેમજ લાકડાની ભઠ્ઠી બન્નેકાર્યરત કરાય છે.

(1:04 pm IST)