Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વડિયાના સુર્યપ્રતાપગઢ ગામે ટ્રેકટર પાછળ મોટરસાયકલ અથડાતા ચાલકનું મૃત્યુ

રાત્રીના સમયે માટી ભરેલા ટ્રેકટર રોડ પર લાઈટ વગર હોય અકસ્માત સર્જાયોઃ બાળકને માતા પાસે મુકવા જતા સમયે સર્જાયો અકસ્માત

વડિયા, તા.૨૬: વડિયાથી અમરેલી રોડ પર આવેલા સુર્યપ્રતાપ ગઢ ગામે રાત્રીના સમયે ટોલી માં માટી ભરેલા ટ્રેકટર ને લાઈટ વગર રોડ પર રાખતા મુખ્ય રસ્તા પર રાત્રી ના સમયે અંધારું હોય ટ્રેકટર રોડ પર અકસ્માત સર્જાય તેરીતે કોઈ લાઈટ કે અકસ્માત થી બચવાં કોઈ સિગ્નલ વગર રાખેલું હોય ત્યારે વડિયા ના ખડખડ ગામના મુકેશભાઈ ધીરુભાઈ વદ્યાસીયા અને પ્રકાશભાઈ ધીરુભાઈ વઘાસીયા તેમના નાના દીકરા દિવ્ય ને તેની માતા પાસે મુકવા કુંકાવાવ જતા હતા ત્યારે સુર્યપ્રતાપ ગઢ ગામ પાસે મુખ્ય રોડ પર અંધારા માં અડચણરૂપ કોઈ આગળ પાછળ લાઈટ વગર પડેલા ટ્રેકટર જીજે ૨૦-બી-૧૦૬૩, ટોલી નંબર જીજે ૦૩-૬૮૩૭ સાથે અથડાતા ચાલાક મુકેશ ભાઈ ને ગંભીર ઇજા થતા તેમને ૧૦૮ મારફતે વડિયા સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવતા તેમને મૃત જાહેર કરેલ હતા. જયારે પ્રકાશભાઈ અને બાળક દિવ્ય ને ઈજાઓ પહોંચી હતી. આ બાબતની વડિયા પોલીસ માં પ્રકાશભાઈ દ્વવારા ફરિયાદ નોંધાવતા ટ્રેકટર માલિક સામે આઇપીસી કલમ ૩૦૪ખ્, ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૨૮૩ અને મોટરવાહન અધિનિયમ હેઠળ કલમ ૧૭૮, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ બીટ જમાદાર પી ડી કલસરિયા દ્વવારા કરવામાં આવી રહી છે.

(11:32 am IST)