Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વાછરાડાડા ચોકની નર્કાગાર હાલત

 ભાણવડ વાછરાડાડા ચોકમાં છાસવારે સર્જાતી ગટરો છલકાવવાની સમસ્યાથી આમ પ્રજા તો ત્રાહિમામ છે જ પરંતુ સતાધારી બીજેપી જૂથના અગ્રણી હોદ્દેદાર કમ વેપારી પણ હાથ જોડી ગયા છે. પ્રથમ તસ્વીરમાં દેખાય છે તેમ આ વેપારી અગ્રણી અને પાલિકા કારોબારી ચેરમેનની દુકાન પાસે જ છાસવારે ઉભરાતી ગટરને કારણે નર્કાગારની સ્થિતિ સર્જાતી રહે છે. બીજી તસ્વીરમાં આ ગટરોના પાણી છલકાઇને નદીના પુલ સુધી પહોંચે છે. આ સમસ્યા કોઇ આજકાલની નથી પણ ઘણા સમયથી ચાલી આવે છે પરંતુ પાલિકામાં બીજેપી શાસન હોઇ વેપારી અગ્રણી કમ પાર્ટી હોદ્દેદાર સતાધિશોની ફજેતી થતી હોઇ વધુ કંઇ કરીશકતા નથી જયારે કારોબારી ચેરમેનની દુકાન સામે જ વારંવાર આવી નર્કાગાર સ્થિતિ થતી હોય ત્યારે આ સતાધિશોની સ્વચ્છતાની ગુલબાંગો કેટલી હદે ગોળા ફેંક હશે તે સહેજેય સમજી શકાય તેમ છે.(તસ્વીરઃ રવિ પરમાર)

(11:44 am IST)