Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કચ્છમાં ૪ દિવસમાં ૧૧૦૦૦ લોકો બહારથી આવ્યા

ભુજ, તા. ર૬ : કચ્છથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઇ અને બહારના સત્ત્।ાવાર ૧૧ હજાર લોકો ૪ દિવસમાં રાપર-ભચાઉ તાલુકામાં ઠલવાયા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય ચકાસણી વગર પાંચેક હજાર મુંબઈવાસીઓ વતનમાં આવ્યાની હોવાની ચર્ચા ચાલી રહી છે. કોરોના પ્રસરે તે પૂર્વે પગલાં ભરવા રાપરના ધારાસભ્યએ કલેકટરને રજૂઆત કરી છે. રાપર ભચાઉમાં આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે. ટ્રેન, વિમાન, ખાનગી વાહન અને લકઝરી બસ દ્વારા લોકો ભચાઉમાં આવ્યા હોવાની ચર્ચા છે. ભચાઉમાં ૫૦૩૫ અને રાપરમાં ૬૫૯૯ થર્મલ મશીનમાં નોંધાયા. સ્કેનિંગ નહિ થયેલા લોકો પરિવાર અને ગામ માટે જોખમ ઉભું કરી શકે છે.

(3:33 pm IST)