Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ગુજરાતના તમામ તબીબોને પોતાના દવાખાના ચાલુ રાખવા સુરેન્‍દ્રનગર સાંસદ ડો.મુંજપરાની અપીલ

વઢવાણ, તા.૨૬: સુરેન્‍દ્રનગર સાંસદ ડો.મહેન્‍દ્રભાઇ મુંજપરા દ્વારા ઓ.પી.ડી. ચાલુ રાખવા ડોકટરોને એક યાદીમાં જણાવ્‍યું છે કે, ગુજરાતના તમામ ડોકટરોને અત્‍યારે આ સમયે સાવચેતી રાખી અને પોતાની ઓ.પી.ડી. ચાલુ રાખવાની જરૂર છે. કોઇપણ ડોકટરોએ ચેપના ભયથી કે અન્‍ય બાબતોથી ચિંતિત થઇ ઓ.પી.ડી. છોડવાનો વિચાર પણ કરવાનો નથી. અત્‍યારે દેશને આપણી જરૂર છે દેશના નાગરિકોની કાળજી આપણી માટે રાષ્‍ટ્રસેવા અને રાષ્‍ટ્રભકિત છે ત્‍યારે દેશના તમામ ડોકટરોને અપીલ છે કે આ રાષ્‍ટ્રભકિતની પળમાં એક કદમ પણ પાછા ન પડીએ. હું પણ મારી જનસેવા હોસ્‍પિટલ ખાતે ૨૪ કલાક ઓ.પી.ડી. ચાલુ રાખવાનો છું.

(12:17 pm IST)