Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પોરબંદરમાં કોરોનાના શંકાસ્પદ કેસમાં વધુ ૧૭ વ્યકિતઓને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ

પોરબંદર તા. ર૬ :.. ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ કેસમાં વધુ ૧૭ વ્યકિતઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવેલ છે. આ તમામ વ્યકિતઓને ર૪ કલાક નિરીક્ષણ માટે રાખવામાં આવશે ત્યારબાદ તેમને ખાસ સ્ટીકર લગાડીને રજા આપી દેવાશે. જરૂર પડે તો રીપોર્ટ જામનગર મોકલી અપાશે.

શહેરમાં ૩પ૦ વ્યકિતઓનું હોમ કવોરન્ટાઇન પુર્ણ થયેલ છે. ડોર ટુ ડોર આરોગ્ય ટીમ દ્વારા ૯૯૧ ઘરમાં સર્વે હાથ ધરવામાં આવેલ. અત્યાર સુધી કુલ ર૭૭૮૦પ લોકોનો મેડીકલ સર્વે પુર્ણ કરેલ છે.

(11:50 am IST)