Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ભાવનગરમાં ૪ રિપોર્ટ નેગેટીવઃ ‘કોરોના' વોર્ડમાં એક પણ દર્દી નહી

સર ટી. હોસ્‍પિટલમાં ૨ એમ્‍બ્‍યુલન્‍સ અને ૭૦ થી વધુ તબીબો-સહાયક મેડિકલ ટીમ સેવામાં

ભાવનગર,તા.૨૬: દેશભરમાં કોરોના વાયરસના કહેર વચ્‍ચે ભાવનગર માટે સારા સમાચાર એ છે,કે ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ કોરોના શંકાસ્‍પદ બાકી રહેલા ૪ દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્‍યા છે.હાલ હોસ્‍પિટલના ઇએસોલેશન વોર્ડમાં એક પણ કોરોના શંકાસ્‍પદ દર્દી દાખલ નથી.

ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં ગઈકાલે દાખલ કોરોના શંકાસ્‍પદ ગ્રામ્‍ય વિસ્‍તારના બે દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્‍યા છે.આ ઉપરાંત ભાવનગર શહેરના બે શંકાસ્‍પદ પુરુષ દર્દીના રિપોર્ટ પણ નેગેટીવ આવ્‍યા છે.આ તમામ ચાર દર્દીના રિપોર્ટ નેગેટીવ આવતા તમામને અન્‍ય વોર્ડમાં શિફ્‌ટ કરવામાં આવ્‍યા છે.હાલ કોરોના આઇસોલેશન વોર્ડમાં એક પણ દર્દી દાખલ ન હોવાનું તંત્રએ જણાવ્‍યું હતું.

ભાવનગરની સર ટી.હોસ્‍પિટલમાં કોરોના ટેસ્‍ટ લેબ કાર્યરત થઈ જતા રિપોર્ટ ઝડપથી થઈ રહ્યા છે.આ ઉપરાંત બે એમ્‍બ્‍યુલન્‍સ અને ૭૦થી વધુ સભ્‍યોની મેડિકલ ટીમ પણ સેવામાં છે. ભાવનગર જિલ્લા વહીવટી, આરોગ્‍ય તંત્ર અને પોલીસ તંત્રની સઘન કામગીરી અને લોકજાગૃતિના કારણે કોરોના વાયરસ સામેની લડતમાં પ્રથમ તબક્કે સફળતા મળી છે.

(11:24 am IST)