Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વિસાવદરના વેકરીયા ગામે પિયરમાં પરિણીતાનો આપઘાત

૬ માસ અગાઉ સાવરકુંડલા લગ્ન થયેલ

જૂનાગઢ તા. ર૬: વિસાવદરના વેકરીયા ગામે પિયરમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે, વિસાવદર તાલુકાનાં વેકરીયા ગામની પારૂલબેન (ઉ.વ. ર૬) નામની દલિત યુવતિનાં લગ્ન છ માસ અગાઉ સાવરકુંડલાનાં પ્રદીપ અરવિંદભાઇ વાળા સાથે થયેલ.

હાલ આ યુવતિ પિયરમાં હતી ત્યારે ગઇકાલે ગળેફાંસો ખાઇને મોતને મીઠું કરી લીધું હતું. યુવતિની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવેલ નથી.

વિશેષ તપાસ વિસાવદરનાં પી.એસ.આઇ. આર. એ. ચાનીયા ચલાવી રહ્યા છે. (૭.૧ર)

(1:09 pm IST)