Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ખ્વાજા ગરબી નવાઝની ચાદર વાંકાનેર શાહબાવા દરગાહ શરીફે ચઢાવાઇ

વાકાનેર તા.૨૬: અતા-એ રસૂલ-ખ્વાજા ગરીબ નવાઝ (રહે.)નો ઉર્ષ ધામધૂમથી ઉજવાયો જેમાં લાખો લોકોની મેદની જોવા મળી હતી.

''અકિલા''ના પ્રતિનિધિ મહંમદભાઇ રાઠોડ પણ આ ઉર્ષના મોકા પર શામેલ રહીને પરત ફરતી વેળા ખ્વાજા ગરીબ નવાઝ સંજરી-ચિશ્તીની ચાદર મુબારક એટલે કે વાંકાનેરમાં મોટામાં મોટી ચાદર તબર્રૃકાત રૂપે લઇ આવીને વાંકાનેરમાં રવિવારે ખ્વાજાની છઠ્ઠીના ઝૂલૂસ સાથે આ ચાદરને શાનો શૌકતથી વાંકાનેરના શહેનશાહ મલંગ હઝરત શાહબાવા (રહે.)ની દરગાહ શરીફે જઇને અસરની નમાઝ બાદ હજારો લોકોની હાજરીમાં આ ચાદર શાહબાવાના રોઝા મુબારક પર ચઢાવવામાં આવેલ.

ત્યારે સલાતો સલામ બાદ મિનારા મસ્જીના આલીમે દૂઆ ગુજારી, કોમી એકતા અને ભાઇચારો જળવાય તેવો સંકલ્પ શાહબાવાને પેશ કરાયો હતો.(૧.૭)

(12:14 pm IST)