Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

માળિયાના નવલખી પોર્ટમાં આધેડની હત્યા કરનાર આરોપીઓ રિમાન્ડ ઉપર

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬: માળિયાના નવલખી બંદરે કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૫) ગાડી લોડીંગ કામ સંભાળતા હોય જેને ગાડી લોડીંગ મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બંને ઇસમોને કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી.

જે બનાવ મામલે મૃતકના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળિયા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાની ટીમે તપાસ ચલાવી હતી.

ત્રણેય ઈસમો નાસતા ફરતા હોય હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે ત્રણેય મોટા દહીંસરા વાળાને ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે શુક્રવાર બપોર સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે.

(12:53 pm IST)