Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સાહિત્યકાર માયાભાઇ આહીરના ઘરે લગ્નમાં ફાયરીંગઃ ડ્રમ વગાડનાર કલાકારને ગોળી વાગતા સારવારમાં

ભાવનગર તા.ર૬ : ભાવનગર જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઇ આહીરને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઇએ ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમ ઝી ટીવીના અહેવાલમાં જણાવ્યું છે.

ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામે ગત મોડી રાત્રે લોહસાહિત્યકાર માયાભાઇ આહીરને ત્યાં લગ્ન પ્રસંગ હતો ત્યારે લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં કોઇ વ્યકિતએ ઉત્સાહમાં આવી હવામાં ફાયરીંગ કર્યું હતું ત્યારે એક વ્યકિતને ેગોળી વાગતા ઇજા થઇ હતી. અમદાવાદના વાડજના ઢોલીને જાનમાં ડોલ વગાડવા બોલાવવામાં આવ્યા હતા. વરઘોડો બજારમાં ફરી રહ્યો હતો, ત્યારે જ કોઇએ પોતાની પાસેના હથીયાર વડે હવામાં ફાયરિંગ કર્યુ હતું. જે ફાયરીંગમાં અમદાવાદથી ઢોલ વગાડવા આવેલા ઢોલીને ગોળી વાગી હતી. ઇજા થતા ઢોલીને ભાવનગરની ખાનગી હોસ્પિટલે ખસેડાયો છે.

બોરડા ગામે કલાકાર માયાભાઇ આહીરના ઘરે દીકરીનો લગ્ન પ્રસંગ હોય અમરેલીના ડેર પરિવારની જાન બોરડા આવી હતી. એવી વિગતો સામે આવી રહી છેજેમાં જાનૈયામાંથી કોઇ વ્યકિતએ હવામાં ફાયરીંગ કર્યું હતું.

જેમાં ઢોલીને ઇજા થવા પામી હતી. સમગ્ર મામલે અત્યાર સુધીમાં કોઇ પણ પ્રકારની પોલીસ ફરીયાદ કરાઇ નથી. પરંતુ લગ્નના માહોલ વચ્ચે હોબાળો થયો હતો.

(3:09 pm IST)