Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હરસુખભાઇ સંઘાણી અને શારદાબેનની દોહીત્રી માનુશીના લગ્ન પ્રસંગે ૭૦ હજાર વઢવાણ પાંજરાપોળને અર્પણ

રાજકોટ તા. ૨૬ : સુરેન્દ્રનગરના ડો. મયંકભાઇ દોશી અને અમીતાબેનએ પુત્રીના લગ્નમાં વઢવાણ પાંજરાપોળનું કાઉન્ટર રાખી જેટલી રકમનો ચાંદલો આવ્યો તેટલી જ રકમ ઉમેરી પાંજરાપોળને અનુદાનમાં આપી હતી.

રાજકોટના ફુલછાબના પૂર્વ તંત્રી અને પત્રકારત્વના ભીષ્મ પિતામહ શ્રી હરસુખભાઇ સંઘાણી અને શારદાબેનની દોહીત્રી માનુશીના લગ્ન પ્રસંગએ ચાંદલામાં આવેલ રકમમાં એટલી જ રકમ ઉમેરી પાંજરાપોળમાં દાન આપી અનુકરણીય કાર્ય કરેલ છે.

સુરેન્દ્રનગરમાં રહેતા બાળકોના ડોકટર મયંકભાઇ દોશી અને અમિતાબેન પોતાની દીકરીના લગ્નમાં ભેટ સોગાત ના લઇ પાંજરાપોળનું કાઉન્ટર રાખી મહત્તમ ૨૫૧નો ચાંદલો સ્વીકારી એટલી જ રકમ પોતે ઉમેરી વઢવાણ પાંજરાપોળને આપવાની ભાવના સાથે જોતજોતામાં ૩૫૦૦૦નો ફાળો થતા એટલી જ રકમ ૩૫૦૦૦ ઉમેરી ૭૦,૦૦૦ વઢવાણ પાંજરાપોળને આપ્યા. મયંકભાઇએ સમાજમાં એક નવો ચીલો પાડી અનુકરણીય કાર્ય કર્યું છે.

(11:47 am IST)