Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જામનગરના વાલસુરામાં મધ્યપ્રદેશના જવાન શહીદ

જામનગરઃ જામનગર નજીકના ઇન્ડીયન નેવી વાલસુરામાં ફરજ બજાવતા જવાન શહીદ થતા ભારે શોક છવાઇ ગયો છે. વાલસુરાના સુરક્ષા કોર-૪૧ પ્લાટુનમાં ફરજ બજાવતા મધ્યપ્રદેશના નાયક મદનગીર ગોસ્વામી ફરજ દરમિયાન શહીદ થયા છે. તેમના પાર્થિવ દેહને વતન કુંચ રૌઠ (નીમચ) લઇ જવામાં આવશે. જયાં તેમના પાર્થિવ દેહની અંતિમવિધ કરવામાં આવશે.

(7:08 pm IST)