Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ખંભાળીયાનાં વડત્રા પાસે સેવા કેમ્પમાં પાણીનો ટાંકો તૂટી પડયોઃ રાજકોટનાં પદયાત્રા સંઘની મહિલાનું મોતઃ ર ને ઇજા

 ખંભાળીયા તા. ર૬ :.. ખંભાળીયાનાં વડત્રા પાસે સેવા કેમ્પમાં પાણીનો ટાંકો તુટી પડતા  રાજકોટનાં પદયાત્રા સંઘની મહિલાનું મોત નીપજયુ હતું જયારે ર મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળીયાથી આશરે ૧પ કિ. મી. દુર વડત્રા ગામ નજીક આવેલ એક આશ્રમ ખાતે પદયાત્રીઓ માટે  સેવા કેમ્પ બનાવવામાં આવેલ જેમાં સેવા કેમ્પમાં સ્નાન કરવા માટે ગયેલ ત્રણ મહીલા પર એકા એક અકસ્માતે સીમેન્ટનો પાણીનો ટાંકો તુટી જતા એક મહીલાનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. અન્ય બે મહિલાને સારવાર માટે ખંભાળીયા હોસ્પીટલએ ખસેડવામાં આવી હતી.

પદયાત્રીનો સંઘ રાજકોટ થી દ્વારકા જવા માટે નીકળ્યો હતો. એમાની આ ત્રણેય મહિલાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ કરૂણ બનાવથી પદયાત્રીઓમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. ઇજાગ્રસ્તોને ફરજ પરના તબીબ ડો. રાજન દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી.

જેમાં કંકુબેન નાથાભાઇ (ઉ.આશરે ૪૦ થી ૪પ) નું મોત નીપજયુ હતું જયારે બાધુબેન જોગાભાઇ ઉ.૩પ અને નાતીબેન દેવકરણ (ઉ.૩પ) ને ઇજા પહોંચતા સારવારમાં ખસેડેલ છે.

(4:06 pm IST)