Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગોંડલના જેતપુર રોડે રેલવે ટ્રેક ઉપર અટકેલા ઓવરબ્રિજના કામ ફરી શરૂ

ગોંડલ તા. ૨૬ : જેતપુર રોડ પરના સાંઢીયા પૂલ ખાતે રેલવે ટ્રેક પર ચાલી રહેલો ઓવરબ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી અટવાયેલું પડ્યું હોય તાજેતરમાં આવેલા રેલવે ડિવિઝનના જનરલ મેનેજરને ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા કરાયેલી રજૂઆતના અંતે ગત રાતના રેલવેના એન્જીનીયરો દ્વારા તોતિંગ ગડર ચડાવવાનું કામ શરૂ કરાતાં બહોળી સંખ્યામાં લોકોના ટોળા ઉમટયા હતા. આ એન્જિનિયરિંગ કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાક ટ્રેનની આવન-જાવન બંધ કરાઈ હોય કારીગરોએ સમય મર્યાદામાં જ કામ પૂર્ણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવેથી શહેરમાં પ્રવેશવા માટે આ રોડ મુખ્ય ગણાતો હોય રાજવી કાળનો સાંઢીયા પૂલ અતિ જર્જરિત થઇ જતા તેની જગ્યાએ રેલવે તંત્ર રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નવા ઓવરબ્રિજની મંજૂરી આપવામાં આવી હતી ગોકળ ગતિએ ચાલી રહેલા આ કામ અને ફરી વેગ મળતા લોકોમાં હરખની હેલી પ્રસરી હતી.

(11:52 am IST)