Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભચાઉના યુવા ભાજપ આગેવાનની પત્નીની આત્મહત્યામાં પ્રેમ પ્રકરણ કારણભુત હોવાની ચર્ચા

બનાવ સમયે દર્શાવાયેલી ટ્રેનના સમયમાં ફેરફારઃ ઇજાગ્રસ્ત માસીયાઇ દીયર સાથેની નજદીકી ચર્ચામાં: પોલીસ તપાસનો ધમધમાટ

ભુજ, તા., ર૭: ભચાઉ ડેવલપમેન્ટ ઓથોરીટી ભાડાના પુર્વ ચેરમેન અને ભાજપના યુવા આગેવાન વિકાસ રાજગોરના ૩૮ વર્ષીય પત્ની નીતા વિકાસ રાજગોરની ગત રર-રના રોજ થયેલ આત્મહત્યાના કેસમાં વિસંગતભરી માહીતી બહાર આવતા આ પ્રકરણ પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઇ રહયું છે.  રેલ્વેના સમયપત્રક મુજબ ભચાઉમાં પ અને ર૧ વાગ્યે નીકળી ગયેલ ટ્રેનનાં સમય સવારે  ૬ વાગ્યાનો દર્શાવાયો છે. નિયમ મુજબ એન્જીન ડ્રાઇવરે અકસ્માતનો  ગુનો નોંધાવ્યો નથી. બહેનપણીઓ સાથે ફરવા જતા નીતાબેન નવા રૂટ ઉપર માસીયાઇ દિયર સાથે ફરવા કેમ નિકળ્યા? આ યુવાન સારવાર હેઠળ છે તેના નિવેદન પછી જ આત્મહત્યા કેસ ઉપરથી પડદો ઉંચકાશે.

(11:49 am IST)