Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સુરેન્દ્રનગરઃ ભવાઇ મંડળ દ્વારા રાજા ભરથરી નાટક

 વઢવાણઃ તાજેતરમાં રાષ્ટ્રીય નાટય વિદ્યાલય દિલ્હીમાં ૮મો થિયેટર ઓલમ્પિકસ યોજાઇ ગયો. જેમાં દેશ-વિદેશથી અલગ અલગ લોકકળા તેમજ નાટકોની પ્રસ્તુતી કરાઇ હતી. જેમાં ગુજરાતમાંથી લજ્જા રંગમંચ આણંદના કનુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મહાકાળી ભવાઇ મંડળ બાળા (નળિયા)ના મનહરભાઇ, કનુભાઇ, વસંતભાઇ, ભરતભાઇ વગેરે કલાકારોએ રાજા ભરથરીની ભવાઇ ભજવી હતી. સફળ બનાવવા હર્ષદ કે. વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

 

(9:50 am IST)