Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

જામનગરમા ગણતંત્ર દિવસની વહેલી સવારે જ એસ.ટી.બસ સ્ટેન્ડમાં અત્યંત નાજુક હાલતમાં બંને પગ કૂતરાએ ખાધેલા હોય તે પ્રકારની હાલતમાં ભ્રુણ મળી આવતા ચકચાર

dir="auto">જામનગર:::જામનગરના એસટી બસ સ્ટેન્ડ માંથી લાવારીસ હાલતમાં દયનીય હાલતમાં તાજુ જન્મેલું ભ્રુણ મળી આવતા ૧૦૮ની ટીમે તાત્કાલિક દોડી જઇ પોલીસને આ અંગે જાણ કરી હતી. હાલ પોલીસે આ ભ્રુણ કોણે એસટી બસ સ્ટેન્ડમાં છોડ્યું અને તેના વાલી વારસ કોણ છે? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ગણતંત્ર દિવસની વહેલી સવારે જ એસ.ટી.બસ સ્ટેન્ડમાં અત્યંત નાજુક હાલતમાં બંને પગ કોઈ કૂતરાએ ખાધેલા હોય તે પ્રકારની હાલતમાં ભ્રુણ મળી આવતા ચકચાર જાગી છે. (અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(10:50 am IST)