Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

કચ્છમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સત્તાવાર એક મોત નોંધાયું : ચાલુ મહિને પીપીઇ કિટવાળા ૧૩ મૃતદેહના અંતિમ સંસ્કાર

નવા ૨૮૨ કેસ સાથે કુલ દર્દીઓનો આંકડો ૧૬૩૪ થયો

(ભુજ) કોરોનાની પહેલી અને બીજી લહેર વધુ ઘાતક હતી. હવે ત્રીજી લહેરમાં દર્દીઓ ઝડપભેર વધી રહ્યા છે. સાથે સાથે દર્દીઓના સાજા થવાનું અને ઘેર સારવાર લેવાનું પ્રમાણ પણ ઘણું છે. જોકે, આ બધા વચ્ચે પણ કોરોનાથી સાવધ રહેવાની જરૂરત છે. કચ્છમાં ગઇકાલે કોરોનાના નવા ૨૮૨ કેસ સાથે સત્ત્।ાવાર એક મોત નોધાયુ છે. અત્યાર સુધી કુલ દર્દીઓનો આંક ૧૬૩૪ થયો છે. આ ત્રીજી લહેરમાં પ્રથમ સત્ત્।ાવાર મોત નોંધાયું છે. જોકે, તે વચ્ચે ચાલુ જાન્યુઆરી મહિના દરમ્યાન ભુજમાં ખારી નદી સ્મશાન ગૃહ મધ્યે નવ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હોવાનું અને માંડવીમાં મસ્કા મધ્યે ચાર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આમ બિન સત્ત્।ાવાર રીતે પીપીઈ કિટવાળા ૧૩ મૃતદેહોના અંતિમ સંસ્કાર ચાલુ મહિને થયા છે.

(10:22 am IST)