Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

મોરબી: નર્મદાની પાણીની કેનાલમાં યુવક ન્હાવા પડ્યો, તણાઇ જતાં મોત મળ્યું

મોરબી જિલ્લાની નર્મદાની પાણીની કેનાલમાં એક યુવક ન્હાવા પડ્યો હતો પરંતુ પાણીના પ્રવાહમાં તણાઇ જતાં તેનું મોત થયું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનનો વતની અને હાલ હિલસેરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમા રહેતો ૧૯ વર્ષીય અભિષેક દિનેશચંદ ગુર્જર ગત તા.૨૧/૧૧/ ૨૦૨૨ ના બપોર આશરે બે વાગ્યાની આસપાસ હિલસેરા સીરામીક કારખાનાની પાછળથી નીકળતી નર્મદા પાણીની કેનાલના પાણીમાં ન્હાવા ગયો હતો. પરંતુ વહેતા પાણીમાં તણાય જતા તે લાપતા થયો હતો અને ગત તા.૨૩/૧૧/૨૦૨૨ ના રોજ તેનો કોહવાય ગયેલો મૃતદેહ બપોરના ૧૨/૨૦ વાગ્યાના અરસામાં નર્મદા કેનાલના પાણી માંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:14 pm IST)