Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

જુનાગઢમાં યોગ સંવાદ સ્નેહમિલન યોજાયું

જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ શહેરના ટાઉન હોલ ખાતે યોગ સંવાદ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી દ્વારા હાજર યોગ ટ્રેનરો અને લોકોને યોગ સાથે માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, શરીરને રોગ મુકત રાખવા જીવનમાં યોગ જરૂરી છે. પરિવારમાં રોગ મૂકત રાખવા યોગ કરવા જરૂરી છે. યોગથી જ દેશને રોગ મુકત બનાવી દેશને આગળ વધારશું તેમ જણાવી કાર્યક્રમમાં હાજર જિલ્લાના યોગ ટ્રેનરો અને લોકોને યોગ કરાવ્યા હતા. આ યોગ સંવાદ સ્નેહમિલન કાર્યક્રમમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, કૃષિ યુનિવર્સિટીના કૃલપતિ નરેન્દ્રભાઇ ગોટીયા, નિયામક માલમ, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા, કોર્પોરેટર સંજય કોરડિયા, વિનુભાઇ અમીપરા, લક્ષ્મણભાઇ પટેલ, ડો.પીયૂષ બોરખતરિયા સહિતના આગેવાનો તથા જિલ્લા અને તાલુકાના યોગ ટ્રેનરો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દર્શનભાઇ વાઘેલા અને ડો.ખુશ્બુબેન ગરાળાએ કર્યુ હતું. (

(12:35 pm IST)