Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વડિયાના અમરનગર રોડ ઉપર ખેતરોમાંથી વિજલાઇનના પ્રશ્નનું બાવકુભાઇ ઉંઘાડની રજુઆતથી નિરાકરણ

વડિયા,તા. ૨૫: વડીયાના અમરનગર રોડ પરના ખેતરોમાં ૧૧ કે.વી. વીજલાઇન ખૂબ જ નીચી હોવાથી ખેડૂતોને ખેતરે જવાનો ખૂબ ડર લાગી રહ્યો હતો. જેમાં ખાસ કરીને ઁચોમાસામાં ખેડૂતોને સતત વીજશોક લાગવાનો ડર સતાવી રહ્યો હતો. આ વીજ વાયર ખૂબ જ નીચા હોવાથી અકસ્માત થવાની ખૂબ જ શકયતા હોવાથી આ બાબતે વીજતંત્રને અનેકવાર મૌખિક તેમજ લેખિત રજુઆત કરવામાં આવી હતી.આમ છતા તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આ વિસ્તારના ખેડૂતોએ પૂર્વ મંત્રી બાવકુંભાઇ ઉંઘાડને રજુઆત કરી હતી. જેથી આ બાબતની ગંભીરતા સમજી બાવકુભાઇ ઉંઘાડે ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા વીજવાયરના પ્રશ્નનું નિરાકરણ આવતા ખેડૂતોમાં આનંદ ફેલાયો હતો.

(11:31 am IST)