Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

૨૭-૨૮મીના પોરબંદરમાં પૂ.લાલબાપુ (ગધેથડ ગાયત્રી આશ્રમ)નો ધર્મલાભ

પોરબંદર રાજપૂત સમાજ અનેસર્વ સમાજ માટેના આયોજનમાં પ.પૂ. રમેશભાઇ ઓઝાની પણ હાજરીઃ ભારે ઉલ્લાસ

રાજકોટ તા.૨પઃ ગધેથડ ગાયત્રી આશ્રમના શ્રી લાલબાપુ તા.૨૭ અને ૨૮મીએ પોરબંદરની પાવન ધરા ઉપર પધરામણી કરી  રહ્યા છે. ૨૭મીએ સવારે બાપુના આગમન સમયે સામૈયુ કરી પોરબંદર ક્ષત્રીય સમાજ છાયા દરબારગઢ ખાતે બિરાજમાન વિંધ્યાવાસીની માતાના મંદિરે પહોંચશે. અહી  પૂ.લાલબાપુ દર્શન-પૂજનનો લાભ લેશે. ત્યારબાદ બપોરે ૩ વાગ્યે મહારાજા નટરવસિંહજી રાજપૂત સમાજ વાડી, વાડી પ્લોટ ખાતે પૂ.લાલબાપુ પધરામણી કરશે અને અહીયા સમસ્ત ક્ષત્રીય સમાજને  તેમની દિવ્યવાણી થકી આશિર્વચનો આપશે.

તા.૨૮મીના પોરબંદર જેઠવા સમાજ અને રાજ શાખા પરિવાર દ્વારા સમસ્ત પોરબંદરની ધર્મપ્રેમી પ્રજા માટે રાજવી પાર્ટી પ્લોટ, બિરલા કોલોની પાસે પૂ.લાલબાપુની ધર્મસભા યોજાશે. આ કાર્યક્રમમાં પ.પૂ. રમેશભાઇ ઓઝા પણ હાજરી આપશે. ધર્મપ્રેમી લોકોને ઉમટી પડવા આમંત્રીણ આપવામાં આવ્યુ છે. (૪.૧૧)

(2:40 pm IST)