Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જુનાગઢ જિલ્લામાં કોરોનાનાં નવા કેસ પર બ્રેકઃ રવિવારે શૂન્ય કેસ

જુનાગઢ સીટી અને ગ્રામ્યમાં ર૮રર લોકોનું રસીકરણ

(વિનુ જોશી) જુનાગઢ તા.રપ : જુનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કેસ પર બ્રેક લાગતા રવિવારે શુન્ય કેસ રહયા હતા.

જિલ્લામાં છેલ્લે શનિવારે કેશોદમાં કોરોનાનો એક નવો કેસ નોંધાયો હતો અને માંગરોળનાં બે દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગઇકાલે રવિવારે જુનાગઢ જિલ્લામાં કોરોનાએ રજા રાખતા એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જેને લઇ તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી.

રવિવારે જુનાગઢ સીટીમાં ૧૭ર અને ગ્રામ્યમાં ર૬પ૦ મળી કુલ ર૮રર લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.

(1:25 pm IST)