Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જુનાગઢ જિલ્લાનાં ૪ મામલતદારની ટ્રાન્સફર : ત્રણ નવા આવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રપઃ  જુનાગઢ જિલ્લાનાં , મામલતદારની ટ્રાન્સફર થઇ હોવાનું અને ત્રણ મામલતદાર નવા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

રાજયનાં મહેસુલ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્યાયે શનિવારે રાજયનાં ૪૦ જેટલા મામલતદારની સામુહિક બદલીનો હુકમ જારી કર્યો હતો.

જેમાં જુનાગઢ જિલ્લાનાં પણ ૪ મામલતદારનો સમાવેશ થાય છે.

ભેંસાણના નિરવ આઇ. બ્રહ્મભટ્ટની કચ્છ, મેંદરડાના સુશ્રી ફાતેમા જે. માકડાની હળવદ, જુનાગઢ કલેકટર કચેરીનાં એસ.આર. ત્રિવેદીની જસદણ અને માંગરોળના મામલતદાર મુકેશકુમાર એન. રાયચુરાની ભાવનગર બદલી કરાઇ છે.

જયારે દેવભૂમિ દ્વારાથી હરિભાઇ કે. પરમારને જુનાગઢ જિલ્લાના માંગરોળ તેમજ ઉંઝાથી અનીલકુમાર પી. ઝાલાને ભેંસાણ અને પોરબંદરના મામલતદાર સુશ્રી નેહા વી. સોજીત્રાને મેંદરડા ખાતે મુકવામાં આવ્યા છે.

(1:11 pm IST)