Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

પોરબંદરમાં મોટા રાંદલ માતાજીના મંદિરમાંથી સોનાનો ગીલેટ ચઢાવેલ ચાંદીના મુગટની ચોરી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.ર૫ : ખારવાવાડમાં સુપ્રસિધ્ધ મોટા રાંદલ માતાજીના મંદિરમાં સોનાના ગીલેટ ચઢાવેલ ચાંદીના મુગટ કિ. રૂ.૩પ૦૦ની રાત્રીના કોઇ ઉઠાવગીર ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખારવાવાડમાં સુપ્રસિધ્ધ મોટા રાંદલ માતાજી મંદિરમાં રાત્રીના કોઇ ઉઠાવગીર સોનાનો ગીલેટ ચઢાવેલ ચાંદીનો મુગટ કિ. ૩પ૦૦ની કોઇ  ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ હરીશભાઇ પ્રધાનભાઇ બાદરશાહીએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પી.એસ.આઇ. એ.બી.ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)