Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ચોટીલાના પારેવડાના લક્ષમણભાઇ ભાલીયાનું વાહનની ઠોકરે મોત

રાજકોટ તા. ૨૫: ચોટીલાના પારેવડા ગામે પાંચાભાઇની વાડીએ રહેતાં લક્ષમણભાઇ વાજાભાઇ ભાલીયા (ઉ.૮૦) નામના વૃધ્‍ધ સાંજે સાતેક વાગ્‍યે ગામના પાટીયા પાસે ઉભા હતાં ત્‍યારે અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમીન પટેલે જરૂરી કાર્યવાહી કરી ચોટીલા પોલીસ તરફ કાગળો મોકલ્‍યા હતાં.

 

(11:17 am IST)