Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

સોમવારથી બગદાણામાં બજરંગદાસબાપાના ધામ ગુરુ આશ્રમ દર્શન માટે ખુલ્લો મુકાશે : ચા વિભાગ પણ ખુલશે

સવારે છ થી રાત્રીના 10 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકશે : રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ રહેશે

બગદાણા : બજરંગદાસબાપાના ધામ ગુરુ આશ્રમ બગદાણા મંદિર સોમવારથી દર્શન માટે ખુલ્લો મુકાશે સવારે છ વાગ્યા થી રાત્રીના 10 વાગ્યા સુધી ભાવિકો દર્શન કરી શકશે,આશ્રમના નિયમ મુજબ આરતી થશે જેમાં કોઈએ બેસવાનું નથી,બહેનો ભાઈઓ માટે અલગ વ્યવસ્થા લાઈનમાં  ઉભા રહેવા માટે રાખી છે,આશ્રમના સ્વયસેવકો આ માટે ખાસ સેવા બજાવશે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે   સરકારી ધારાધોરણ ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર ટેમ્પરેચર ગન વગેરેનું પાલન કરવાનું રહેશે

 અત્રે ઉશેલખનીય છે કે કોરોના મહામારીને કારણે ગત તા, 20 માર્ચથી ગુરૂઆશ્રમ બંધ છે કોરોના મહામારીને કારણે રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ રહેશે

(10:10 pm IST)