Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ભેંસાણના ડમરાળા ગામના યુવાનની લાશ કુવામાંથી મળી

મૃતક બે દિવસથી ગુમ હતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રપ : ભેંસાણના ડમરાળા ગામના એક યુવાનની લાશ  કુવામાંથી મળી આવતા પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ડમરાળા ગામનો પટેલ ચેતનભાઇ વલ્લભભાઇ રૈયાણી (ઉ.વ.૩૭) નામનો  યુવાન બે દિવસથીતેના ઘરેથી નીકળી ગયો હતો અને શોધખોળ કરવા છતાં ચેતનની ભાળ નહિ મળતા ભેંસાણ પોલીસમાં યુવક ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.

દરમિયાન કગત અંગે ડમરાળાની સીમમાં આવેલ એક કુવામાં માનવ લાશ તરતી હોવાની જાણ થતા પોલીસ સ્ટાફ વગેરે  દોડી ગયા  છતા અને લાશ બહાર કાઢતા મૃતક ચેતન રૈયાણી હોવાનું જણાયુ હતુ.

મરનાર યુવાન માનસિક અસ્થિર છતા અગાઉ પણ ગુમ થઇ ગયો હતો. ફરી લાપતા થયા બાદ કુવામાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા તેના પરિવારમાં ગમગીની વયાપી ગઇ હતી.

ભેંસાણ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જામનગર ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)