Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

જિલ્લા પ્રમુખ હરેશભાઈ હેરભાના અધ્યક્ષ સ્થાને

રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બીજી કારોબારી બેઠક

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૫: રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ હેરભાના અધ્યક્ષ સ્થાને તેમજ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ અને જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી ની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની દ્વિતિય કારોબારીબેઠકમાં રાજકોટ જીલ્લામાં બક્ષીપંચ મોરચા દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમ તેમજ આગામી કાર્યક્રમ જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના રોજ 'ગરીબોની બેલી સરકાર' સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા .જેમાં ગુજરાત બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડની સુચના અનુસાર સમગ્ર રાજકોટ જીલ્લામાં દિવ્યાંગોના સેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં દિવ્યાંગ લોકોને ફૂટ વિતરણ દિવ્યાંગ લોકોને કૃત્રિમ અંગો અને ઉપકરણો વિતરણ તેમજ દિવ્યાંગ લોકોને રાસન કીટનું વિતરણ તેમજ દિવ્યાંગ લોકોને દવા નું વિતરણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યો ઉપરાંત જિલ્લામાં થનાર બક્ષીપંચ મોરચા ના કાર્યક્રમોમાં પણ તમામ હોદ્દેદારોએ જોડાવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આગામી ૭ ઓકટોબર સુધી રાજકોટ જીલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા તમામ મંડલોમાં કાર્યક્રમ કરવાની માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંડલમાં જિલ્લાના ઉપપ્રમુખ તેમજ મંત્રીઓને બે મંડલમાં એક પ્રભારીની નિમણુંકો કરવામાં આવી હતી. તેમજ આવનારી ૨૦૨૨ની ચુંટણીને ધ્યાનમાં રાખી બક્ષીપંચ મોરચો રાજકોટ જીલ્લા દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર યશસ્વી કારગિરી જન-જન સુધી પહોંચે તે બાબતે સરકારની યોજનાના કાર્યક્રમો પણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્ત્।ે ગરીબ બાળકોને વિનામૂલ્યે ઓપરેશન થાય તે માટે રૂપિયા ૨૫ લાખ રૂપિયાનો ચેક શ્રી સત્ય સાઈ હોસ્પિટલ ને અર્પણ કરેલ તે બાબતે સેવા કાર્યને બિરદાવી રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં રાજકોટ જિલ્લાના ૧૭ મંડળમાંથી જીલ્લાના હોદ્દેદારો તેમજ શહેર અને તાલુકાના પ્રમુખ તેમજ મહામંત્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:12 am IST)