Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સુરતથી પાલણપીરનો મેળો કરવા પિતા-પુત્રના તળાવમાં ડૂબી જવાથી કરૂણમોત :ત્રણનો બચાવ

મૂળ હડમતીયા ગામના અને સુરત સ્થાયી થયેલ પિતા પુત્રના કરૂણમોત

 

મોરબી જીલ્લાના હડમતીયા ગામ પાસે પાલનપીરનો મેળો કરવા આવેલ સુરતના પરિવારમાંથી તળાવમાં ડૂબી જવાથી પિતા પુત્રના કરૂણમોત નિપજ્યા હતા જયારે ત્રણ લોકોનો બચાવ થયો હતો ટંકારા પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

  અંગે મળતી વિગત મુજબ મૂળ હડમતીયા ગામના રહેવાસી અને હાલમાં સુરત રહેતા રાહુલ જગદીશભાઈ સોલંકી તેના પરિવાર સાથે મેળામાં આવ્યા હતા ત્યારે તળાવમાં ન્હાવા માટે રાહુલ સોલંકી તેના દીકરા આરવ સહીત પાંચ વ્યક્તિઓ સાથે ગયા હતા ત્યારે તળાવ કાંઠે બેઠેલ આરવ રમત રમતમાં અચાનક તળાવમાં ડૂબવા લાગ્યું હતું જેથી તેને બચવા માટે તેના પિતા રાહુલભાઈ જગદીશભાઈ સોલંકી સહીત ચાર વ્યક્તિ બચવા માટે ગયા હતા તે સમય આરવ અને તેના પિતા પાણીમાં ડૂબી જતા તે બન્નેના મોત નીપજ્યા હતા જો કે, મેહુલ દિનેશભાઈ તેમજ નિર્મલ રમેશભાઈ સહીત ત્રણ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા

 

(11:31 pm IST)