Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ભાવનગરમાં યુનિવર્સિટીના મહોત્સવ પહેલા ગાંધીજીના જીવન પર વિવિધ ફલોટસ સાથે કલાકાર યાત્રા યોજાઈ

યુનિવર્સિટીના ૪૯ જેટલી કોલેજો અને ભવનોના ૧ ,૧૫૦ કરતા વધુ કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરશે

 

ભાવનગર : મહારાજા કૃષ્ણુકમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની મહોત્સવના પ્રારંભ પૂર્વે  કલાકાર યાત્રા યોજાઈ હતી. કલાકાર યાત્રામાં ગાંધીજીના જીવન પરના વિવિધ ફલોટસ સાથે યાત્રા નીકળી હતી.

કલાકાર યાત્રાનું પ્રસ્થાન ભાવનગરના યુવરાજ તેમજ વિવિધ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતુ. ભાવનગર યુનિવર્સિટીના ૪૯ જેટલી કોલેજો અને ભવનોના હજાર ૧૫૦ કરતા વધુ કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરવા થનગની રહ્યાં છે. યુવક મહોત્સવમાં ૨૬,૨૭ અને ૨૮ તારીખ સુધી ચાલશે.

(10:13 pm IST)