Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

શિરડી સાંઇબાબા મંદિર જામનગર દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

જામનગર : જામનગરમાં ગાંધીનગર ખાતે આવેલ શ્રી શિરડી સાંઇબાબા મંદિર  ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી શહેરના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવે છે. ધો.૧૦માં ૭પ ટકાથી ઉપર તેમજ ધોરણ ૧રમાં બન્ને પ્રવાહમાં ૭૦ ટકાથી વધુ માર્કસ મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમમાં મેયર હસુમખભાઇ  જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોશી,  ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેરના પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પુર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જામનગર મનપાના સેક્રેટરી અશોકભાઇ પરમારે સન્માન કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના કાર્યકરો ત્રિવેદી પટેલભાઇ , અતુલભાઇ રાજાણી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હિતેન્દ્રસિંહે કર્યુ હતું. તેમ સંસ્થાના પ્રમુખ કનકસિંહ જાડેજાની એક યાદીમાં જણાવાયું છે.

(1:03 pm IST)