Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

જામનગરમાં ડેન્ગ્યુનો વકરતો ડંખ : એક જ દિવસમાં 57 કેસ નોંધાયા: જી,જી, હોસ્પિટલમાં 31 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ

મનપા રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયાનો લોકોમાં ચર્ચા

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર વધતો જાય છે ડેન્ગ્યુ બેકાબુ બનતા એક જ દિવસમાં ૫૭ જેટલા કેસ નોંધાયો છે. ગઈકાલે સાંજે જી જી હોસ્પિટલમાં ૩૧ દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં ૨૬ દર્દીઓ ડેન્ગ્યુથી પીડાઈ રહ્યા છે.

  એકતરફ જામનગરમાં ડેન્ગ્યુનો ડંખ વકરી રહ્યો છે બીજીતરફ  તંત્ર બધું સલામત હોવાનો દાવો કરી રહ્યુ છે. જામનગરની મનપા રોગચાળા પર નિયંત્રણ મેળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.તેવી લોકોમાં ચર્ચા જાગી છે 

(11:50 am IST)