Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પમાં ૨૬૮ દર્દીઓએ લાભ લીધો

કેશોદ :  જલારામ મંદિર દ્વારા દર મહિનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પ યોજાઇ છે. જેમાં રાજકોટ રણછોડદાસજી આશ્રમના નિષ્ણાંત ડોકટર દ્વારા નિદાન કરી ઓપરેશન માટે રાજકોટ હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. ગત રવિવારે જલારામ મંદિર કેશોદ દ્વારા ૨૫૪મો નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૨૬૮ દર્દીને તપાસી ૧૦૬ને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. આ ભોજનના દાતા સિગ્મા સ્કુલ ઓફ કેશોદ વાળા અશોકનાથ હસુનાથ નાથજી હતા. જલારામ માનવ સેવા સમિતિના પ્રમુખ રમેશભાઇ રતનઘાયરા, મંત્રી દિનેશભાઇ કાનાબાર તથા અન્ય સભ્યોએ આ નેત્ર કેમ્પને સફળ બનાવવા નમુનારૂપ આયોજન કરેલ હતુ. (તસ્વીર - અહેવાલ : સંજય દેવાણી,કેશોદ)

(11:34 am IST)