Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

જસદણના વિરનગર પાસે એસટી બસ પર ચાર શખ્સોએ કાચ ફોડયા

પાંચ હજારનું નુકશાનઃ બસ ચાલક મનોજભાઇ રાઠોડની ફરીયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

આટકોટ/જસદણ, તા., રપઃ જસદણ એસટી ડેપોની બસ પર વિરનગર પાસે કોઇ અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી કાંચ તોડી નાખતા આ અંગે આટકોટ પોલીસ મથકમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ દાખલ થયેલ છે.

મળતી વિગત મુજબ છે કે જસદણ ડેપોની જી.જે ૧૮ વાય પ૪૩૯ નંબરની એસટી રાજકોટથી વિરનગર આવી પહોંચતા ત્યાં સ્મશાન નજીક બે બાઇક રાખેલ ચાર શખ્સો ડ્રાઇવર સમજે તે પહેલા પાણાવાળી કરતા મુસાફરોમાં ભયભીત બની ગયા હતા. આ અંગે બસના ડ્રાઇવરે સમય પારખી કામ લેતા કોઇ મુસાફરોને ઇજા થઇ ન હતી. એસટી બસને પાંચ હજારનું નુકશાન પહોંચાડતા ડ્રાઇવર મનોજભાઇ રાઠોડની ફરીયાદ પરથી આટકોટ પોલીસ મથકના પીએસઆઇ ચૌધરીએ ચાર અજાણ્યા શખ્સો સામે પબ્લીક પ્રોપર્ટી ૧૯૮૪ની કલમ ૭ (૩) અને આઇપીસી ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. (૪.૨)

(1:05 pm IST)